ગુજરાત
Trending

પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં ઉજવાયો ‘ગુજરાત ગૌરવ દિન’,જુઓ ક્યાં-ક્યાં મહાનુભાવો લીધી પ્રમુખસ્વામી નગર ની મુલાકાત

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદ(Ahmedabad)માં પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ શતાબ્દી મહોત્સવમાં પ્રમુખસ્વામી મહારાજના સેવકોથી લઈ અનેક હરિભક્તો પણ ખડે પગે રાત-દિવસ સેવા કરી રહ્યા છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શને આવી રહ્યા છે. આ પ્રમુખસ્વામી નગર(pramukh swami nagar)ને જોઇને સૌ કોઈ લોકો અભિભૂત થઇ રહ્યા છે. તો ગઈકાલે ‘પ્રમુખ સ્વામી મહારાજ’ નગર ખાતે ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

અમે તમને જણાવી દઈએ કે, સાંજે 4.45 વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. જાણીતા ગાયક હેમંત ચૌહાણ, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને ઓસમાણ મીર દ્વારા ભજન સંગતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ વખત વિશ્વ ધર્મ પરિષદમાં ગુજરાતી ભાષામાં પ્રવચન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે : શૈલેષ  સગપરિયા

શૈલેષ સગપરિયાએ જણાવતા કહ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજે ગુજરાત અને ગુજરાતી ભાષાને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવ્યું છે અને યુએનના ઇતિહાસમાં પ્રમુખસ્વામી મહારાજે પ્રથમ વખત વિશ્વ ધર્મ પરિષદમાં ગુજરાતી ભાષામાં પ્રવચન કરીને ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે બનાવેલા વિશ્વભરના વિદ્યાલયોમાં પણ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવામાં આવે છે. સૌથી જૂનો ગઢ ગિરનાર એ ગુજરાતમાં છે અને સૌથી જૂનું નગર લોથલ પણ ગુજરાતમાં આવેલું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ ગુજરાતી, અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતી, અવકાશ વિજ્ઞાનના પિતામહ વિક્રમ સારાભાઈ પણ ગુજરાતી, લશ્કરના પિતામહ સામ માણેકશા પણ ગુજરાતી હતા. આધુનિક ભારતના નિર્માતા નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે.

હાસ્ય કલાકાર અને સંગીતકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડે પ્રમુખસ્વામી નગર.

“પ્રમુખસ્વામી મહારાજનું હાસ્ય નાના બાળક સમાન હતું અને તેઓને મારા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો જો ‘I’ એટલે કે અહંકારને આડો પાડી દઈએ તો ભગવાન સુધી પહોંચવાનો પુલ બની જાય. પ્રમુખસ્વામી મહારાજ આવા અહંશૂન્ય પુરુષ હતા. આ મહોત્સવ ન જોયો હોત તો વસવસો રહી જાત. ”

Shahbuddin Rathod

દાદા ભગવાન ફાઉન્ડેશનના પૂજ્યશ્રી દીપકભાઈ દેસાઈએ જણાવ્યું,
“મુખસ્વામી મહારાજ એવા મહાપુરુષ હતા કે દરેકના દિલમાં વસી જાય. અનેક લોકોના કલ્યાણને અર્થે ઘરો ઘર વિચરણ કર્યું છે અને અનેક લોકોની દાવાનળ રૂપી અગ્નિને શાંત કરી છે. પ્રમુખસ્વામી મહારાજમાં ભગવાન સ્વામિનારાયણે સમજાવેલો પ્રખર ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોવા મળતો હતો અને તેઓ દેહભાવથી પર હતા. પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર જીવનમાં પોતાના ગુરૂહરિને રાજી કરવા મન વચન અને કાયાથી અથાગ પુરુષાર્થ કર્યાં છે અને એ જ એમનો સર્વોચ્ચ ધ્યેય હતો.

13

સત્પુરુષના શરણે જઈએ ત્યારે પોતાની સાચી ઓળખ થાય છે અને પ્રમુખસ્વામી મહારાજ ભલે સ્થૂળ દેહ અહી હાજર નથી પરંતુ સુક્ષ્મદેહે નિરંતર આપણી સાથે છે. દરેક હરિભક્તોને ખરાબ સમયમાં હંમેશા એવી અનુભૂતિ થતી હતી કે,”પ્રમુખસ્વામી મહારાજ મારી સાથે છે અને તેમની હૂંફ અને પ્રેમ મારી પાસે જ છે , તેઓ હાજરાહજૂર જ છે.”

૮૦,૦૦૦ સ્વયંસેવકો અહી નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય કૃપા રહેલી છે કારણકે તેઓએ ખુદ પોતાનો દેહ ઘસી નાખીને અન્યને માટે જીવ્યા છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગર એ અલૌકિક અને ધાર્મિક નગરી છે જ્યાં શાંતિના સ્પંદનો અનુભવાય છે. સદીઓ સુધી પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ માનવજાતને મળતા રહેશે.”

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રમુખસ્વામી નગર પહોંચી જણાવ્યું

“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભવ્ય અને દિવ્ય છે કારણકે પ્રમુખસ્વામી મહારાજનું જીવન માત્ર અને માત્ર પોતાના કલ્યાણ માટે નહિ પરંતુ સમષ્ટિના કલ્યાણ માટે હતું અને તેના માટે તેઓ અન્યને પ્રેરણા મળે તેવું જીવન જીવ્યા હતા.પ્રમુખસ્વામી મહારાજ લોકોમય હતા કારણકે તેઓ નાનામાં નાના માણસથી લઈને અનેક લોકોના ઘરે પધરામણી કરી છે , પત્રો દ્વારા માર્ગદર્શન આપ્યું છે.

Vijay Rupani

“પ્રાર્થના + પુરુષાર્થ = સફળતા” એ સૂત્ર તેમના આધ્યાત્મિક જીવનનો નિચોડ હતો.
ધર્મ પ્રત્યે અને સંતો પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા વધે તેવું જીવન પ્રમુખસ્વામી મહારાજ જીવ્યા છે.

અક્ષરધામ હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજ સતત નરેન્દ્રભાઇ મોદી અને લાલકૃષ્ણ અડવાણી સાથે સંપર્કમાં હતા અને આવી ગંભીર સ્થિતિમાં પણ સમ્યક ભાવે બધી વ્યવસ્થાનું સંચાલન કરી રહ્યા હતા અને શાંતિનો સંદેશો વિશ્વભરમાં આપ્યો હતો જેના લીધે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં શાંતિ સ્થાપી હતી. આજે ગુજરાત સમૃદ્ધ અને સલામત છે તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજનો પુરુષાર્થ રહેલો છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવથી આવનારા સમયમાં સદીઓ સુધી અનેક લોકોના જીવન પરિવર્તન થશે તેવો મને પૂર્ણ શ્રદ્ધા છે.”

ગુજરાત સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ એક વિરાટ વ્યક્તિત્વ હતું જેને લાખો માણસો સાથે પરિચય હતો અને દરેક સાથે સ્નેહના તાંતણે બંધાયેલા હતા. પ્રમુખસ્વામી મહારાજે સ્વામિનારાયણ સંસ્થા, હિન્દુ ધર્મ અને સંસ્કૃતિનું વિશ્વભરમાં ગૌરવ વધાર્યું છે.

પ્રમુખસ્વામી મહારાજે કચ્છ ભૂકંપ વખતે તાત્કાલિક બધી જ સહાય મોકલીને સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને ધરતીકંપના પ્રથમ દિવસે જ તમામ લોકોને નાતજાતના ભેદભાવ વગર ખીચડી અને કઢી જમાડીને અનેક લોકોને શાંતિ અને હૂંફ આપી હતી જે અદ્વિતીય હતી.

Nitin Patel

ગુજરાતને વિશ્વભરમાં મહાત્મા ગાંધી સરદારભાઈ પટેલ, નરેન્દ્રભાઇ મોદીએ ગૌરવ અપાવ્યું છે તે રીતે ધાર્મિક અને સેવા ક્ષેત્રે પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વિશ્વભરમાં શાંતિનો સંદેશ આપવામાં પ્રમુખસ્વામી મહારાજનો સિંહફાળો છે. આજે દિલ્હીમાં આવેલા બીજા દેશના કોઈ પણ વ્યક્તિ સૌ પ્રથમ દિલ્હી અક્ષરધામ જોવા જવાનો આગ્રહ રાખે છે એવું વિશાળ અને ભવ્ય અક્ષરધામ પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ એ માત્ર ભારત કે ગુજરાતના નહિ પરંતુ વિશ્વવંદનીય સંત છે.”

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું,

“આ દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજ માટે કરવામાં આવ્યું છે કારણકે તેમના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. પ્રમુખસ્વામી મહારાજ હંમેશા પરોપકારની ભાવના સાથે જીવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતના વિકાસમાં અનોખું યોગદાન આપ્યું છે.

21

જ્યારે જ્યારે રાજ્યમાં મુશ્કેલી આવી ત્યારે તત્કાળ મોટા પાયે રાહતકાર્યો કર્યા છે.નર્મદા યોજનાની પરિપૂર્તિ માટે પ્રમુખસ્વામી મહારાજે નિઃસ્વાર્થ ભાવે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. યોગીજી મહારાજ જ્યારે જ્યારે નર્મદા નદી પરથી પસાર થતા ત્યારે નર્મદા યોજના માટે પ્રાર્થના કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતમાં અનેક વિદ્યાધામ બનાવીને બાળકોમાં સ્વાસ્થ્ય, શિક્ષણ અને સંસ્કારોનું સિંચન કર્યું છે.”

 

વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતા વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે. નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય, વ્યસનમુક્તિ હોય, પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય, પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય, જ્ઞાતિ-જાતિ, દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.

અમે તમને જણાવી દઈએ કે, 1200 કરતાં વધુ મંદિરોના સર્જનથી, 5000 થી વધુ સત્સંગ કેન્દ્રો દ્વારા, 100 થી અધિક શાળાઓ અને હૉસ્પિટલોના નિર્માણથી પ્રમુખસ્વામી મહારાજે વિશ્વનું કલ્યાણ કર્યું છે. પવિત્રતાથી પરિપૂર્ણ એવા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત 1100 કરતાં વધુ સંતો, 7,050,00 કરતાં વધુ લખાયેલાં પત્રો, 17,000 થી વધુ ગામોમાં કરાયેલા વિચરણ અને 2,050,00 કરતાં વધુ ઘરોમાં પધરામણી દ્વારા તેમણે લાખો મનુષ્યોનું જીવન ધન્ય કર્યું છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button